About Us

આપણે દરેક શ્રી ઘોઘારી વિશાશ્રીમાળી જૈન સમાજના વ્યક્તિઓ આપણાં વતનને છોડીને સંજોગવશાત અહીં મુલુંડમાં આવીને વસ્યા છીએ. આપણા સમાજની મોટી વસ્તી મુંબઇમાં મુલુંડ નગરે સારી એવી સંખ્યામાં વસે છે. આ બધા પરિવારો પરસ્પર મળે, એક બીજાના પરિચયમાં આવે, એક બીજાનાં કાર્યોમાં ઉપયોગી થાય, એક બીજા પ્રત્યે ભાતૃભાવ વધે એ ઉમદા હેતુઓને ધ્યાનમાં રાખીને મુલુંડમાં વસતા શ્રી મુલુન્ડ ઘોઘારી વિશાશ્રીમાળી જૈન સમાજની તા. ૧૭-૦૯-૧૯૭૮ ના રોજ વિધિવત સ્થાપના કરવામાં આવેલ હતી. છેલ્લા ૪૫ વર્ષથી આપણા સમાજ દ્વારા ઉત્કર્ષ અને અભ્યુદય અર્થે સુંદર કાર્યો કરી રહેલ છે.